નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્વર્ણિંમ ગુજરાતની વૈશ્વિક યાત્રાની ઝાંખી કરાવતું મેગા પ્રદર્શન

 
તા. ર૯મી એપ્રિલે સાંજે ૬-૦૦ કલાકે રાજ્યપાલ ર્ડા. કમલાજી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું ઉદઘાટન થશે

સ્વર્ણિમ ગુજરાત જયંતી વર્ષની ઉજ્વણીના સમાપન તબક્કામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાતની વૈશ્વિક યાત્રાની વિસ્તૃત ઝાંખી કરાવતું મેગા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ સ્વર્ણિમ જયંતી સમારોહને વધુ ભવ્યતા આપવા યોજાયેલા પ્રદર્શનનું તા. ર૯મી એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે રાજ્યપાલ ર્ડા. કમલાજી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરશે. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા. ૩૦ એપ્રિલ, ર૦૧૧થી તા. ૬ મે, ર૦૧૧ દરમિયાન સાંજે ૪-૦૦થી રાત્રે ૯-૦૦ સુધી ખુલ્લું રહેશે.

તાપી, સાબરમતી અને નર્મદાના નામથી ઊભા કરાયેલા ત્રણ હોલમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની ઝાંખી કરાવતું સ્ટોલ્સ પ્રદીર્શત કરવામાં આવ્યા છે અહિં રાજ્યના વિકાસની આગેકૂચ દર્શાવતા જુદા જુદા સ્ટોલ્સમાં રાજ્યને મળેલા ઈનામો, એવોર્ડ, ઔદ્યાગિક વિકાસ, ઊર્જા, શહેરીવિકાસ, ગીફટ, રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જળશક્તિ, જનશક્તિ, ઊર્જા શક્તિ, આદિજાતિ વિકાસ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, આરોગ્ય, સરદાર સરોવર નિગમ, કલ્પસર યોજના, જળસંપત્તિ, પાણી પુરવઠા યોજના, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કૃષિ, પંચાયત, ગ્રામ વિકાસ, યાત્રાધામ વિકાસ અને ઇન્ડેક્ષ-બીના સ્ટોલ્સ છે.

અહીં જુદાં જુદાં જિલ્લાઓના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. પ્રદર્શન મંડપની બહાર સૌર ઊર્જાનગર અને કલા-કારીગરી અને હુન્નર નગર તેમજ ગ્રામોદ્યોગનું જીવંત નિદર્શન પણ થશે. વાંસકામ, મોતીકામ, આરીભરત કામ, લેધરવર્ક, મેરેજ ડેકોરેટીવ આઇટમો, ઇમીટેશન ઝવેલરી, પેચવર્ક જેવી હસ્તકલાઓનું પણ જીવંત નિદર્શન જોવા મળશે.

ગુજરાત માટી કામ કલાકારીગરી બોર્ડ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના સહયોગ થકી રાજ્યના ગામડાંઓની સંસ્કૃતિ અને હસ્તકલાની વિવિધ બનાવટો અહીં જોવા મળશે.

મુલાકાતીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત અલ્પાહાર માટેના સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ મેગા પ્રદર્શનના આગળના ભાગે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના શિલ્પો, રંગ-બેરંગી ફૂવારા તથા સુવર્ણજયંતીના પ્રતિક એવા વિશાળ કળશનું દશ્ય સુંદર વાતાવરણ ઊભું કરશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા