નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

પાલક-ચણાદાળની સબ્જી

 
 
3 વ્યક્તિઓ માટે બનાવો પાલક-ચણાદાળની સબ્જી

સામગ્રી:
2 કપ પાલક
200 ગ્રામ ચણાની દાળ
7-8 કળી લસણ
1/4 ટેબલસ્પૂનહળદર
મીઠું સ્વાદ અનુસાર

મસાલો:
1/4 ટેબલસ્પૂનરાઈના દાણા
1/4 ટેબલસ્પૂન જીરું
1/4 ટેબલસ્પૂન અડદની દાળ
3 લાલ મરચાં કાપેલા
લીમડાના પાન
1 ટેબલસ્પૂનતેલ

રીત:
-ચણાની દાળને એક કપ પાણીમાં બાફો. દાળ નરમ થઈ જવી જોઈએ પણ દાણો આખો રહે એવી રીતે બાફવી.
-પાલકને ધોઈને તેના પાંદડાને સમારી લો.
-પેનમાં તેલ ગરમ કરીને બાકીનો મસાલો એક પછી એક ઉમેરો.
-જ્યારે રાઈના દાણા ફૂટી જાય ત્યારે લીલા મરચાં અને લસણ ઉમેરો.
-જરાક વાર માટે પાકવા દો અને પછી પાલક અને હળદર ઉમેરો.
-જ્યા સુધી પાલક પૂરી નરમ ન થઈ જાય ત્યાં સુધી પાકવા દો.
-હવે બાફેલી ચણાની દાળ ઉમેરો.
-પેનને ઢાંકી દો અને એકાદ મિનીટ સુધી ચઢવા દો બાદમાં સ્વાદઅનુસાર મીઠું ઉમેરો.
-હવે ગેસ પરથી ઉતારી લો અને સાદા ભાત કે રોટલી સાથે ગરમ ગરમ પીરસો.

નોંધ: ચણાની દાળ વધુ ન બફાય જાય તેનું ધ્યાન રાખો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા