નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે તો દવામાંથી લોખંડનો તાર નીકળે છે

 
 
કડીના ગંજબજાર વિસ્તારમાં આવેલ ખાનગી દવાખાનામાંથી ચાર વર્ષીય પુત્રી માટે લવાયેલ તાવની દવાની ગોળીમાંથી લોખંડનો તાર નીકળતા ચકચાર મચી જવા પામી છે. પુત્રીને દવા પીવડાવવા જતા પિતાએ દવાની ગોળીને અડધી કરતા આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા દર્દી સાથે ચેડાં કરનાર દવા બનાવતી કંપની સામે શિક્ષાત્મક પગલા કડી આરોગ્ય વિભાગમાં રજુઆત કરી છે.

ચોંકાવનારી આ કિસ્સાની વિગત એવી છે કે, કરણનગર સ્થિત સોમેશ્વર તીર્થ સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ સુથારની ચાર વર્ષીય પુત્રી જીલને તાવ હોઇ તેઓ ગત શનિવારે જીલને લઇ દવા લેવા માટે અહીંના ગંજબજાર વિસ્તારમાં આવેલ દવાખાને ગયા હતા. ડોક્ટરે જીલને તપાસી કાગળના પેકેટમાં છુટક તાવની દવા આપી હતી.

સોમવારે સવારે હર્ષદભાઇ પુત્રી જીલને અડધી ગોળી આપવાની હોઇ ડા¸કટર ગોળીની અડધી ગોળી કરવા જતાં ગોળીમાંથી લોખંડનો તાર દેખાતા પુત્રીને દવા આપ્યા વગર તેઓ સીધા જ ડોક્ટરને ત્યાં જઈ તેમણે આપેલ દવાની ગોળીમાં લોખંડનો તાર બતાવતા તેઓ ચોંકી ઊઠ્યા હતા. હર્ષદભાઇએ આ અંગે કડી આરોગ્ય વિભાગના અધિકારીને લેખિત રજુઆત કરી માનવીના આરોગ્ય સાથે ચેડા કરનાર દવા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગે લેખિતમાં રજુઆત કરી છે.

ઓઢવની દવા કંપનીમાંથી દવા મંગાવી હતી : તબીબ

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ