નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

નવરાત્રિ ઉજવણી પર સરકાર વારંવાર નિર્ણયો બદલતી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો. હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.
માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી
સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્કિંગ જરૂરી
આવતીકાલે શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબા કરવાની પરમિશન આપી નથી. માત્ર એક કલાક માટે પૂજા અને આરતી કરી શકાશે, ત્યારે હવે સરકારે પહેલા પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવાના નિર્ણય પાછો ખેંચ્યો છે. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે.એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. તેમજ પ્રસાદ પણ પેકેટમાં જ વહેંચવો પડશે. શીંગ-સાકરીયા જેવો પ્રસાદ પેકિંગ વિના વહેંચી શકાશે નહીં.
પરમિશન ન લેનાર સામે કાર્યવાહી સુધીના પગલાં ભરવા કહેવાયું હતું
નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત કરાઈ હતી, જેના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના લેટરપેડ પર અરજી કરીને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવાનું ફરજિયાત કરાયું હતું. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે તેવી માર્ગદર્શિકા સાથે ગઈકાલે અમદાવાદ સહિતના શહેરોમાં પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થઈ પણ હતી. એટલું જ નહીં જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન લીધી ન હોય તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.
સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન્સ
Comments
Post a Comment