નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહ્ય નથી, આવા કિસ્સાઓમાં અધિકારીઓ ખુદ કાર્યવાહી કરે, અદાલતોની પાછળ ના છુપાય

જાહેર સ્થળોએ દેખાવો અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જાહેર સ્થળો પર લાંબા સમય સુધી દેખાવો કરી ન શકાય. એક નિશ્ચિત જગ્યા પર જ ધરણાં થવાં જોઈએ. આ મામલો દિલ્હીના શાહીન બાગ ખાતેના દેખાવો સાથે સંકળાયેલો છે. ત્યાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી માર્ગ રોકીને દેખાવો થયા હતા. એનાથી લોકોને અવરજવરમાં પરેશાની થઈ હતી, આથી પિટિશનરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જાહેર સ્થળો પરના દેખાવો અંગે પ્રતિબંધ લાગવો જોઈએ.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની 4 મુખ્ય બાબત

  • વિરોધપ્રદર્શન માટે શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહન કરી ન શકાય.

  • લોકતંત્ર અને અસંમતિ સાથે સાથે ચાલી શકે છે.
  • શાહીન બાગને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની જરૂર હતી.
  • આવી ઘટનાઓમાં અધિકારીઓએ ખુદ પગલાં લેવા જોઈએ. તેઓ અદાલતો પાછળ છુપાઈ ન શકે કે જ્યારે કોઈ આદેશ આવશે ત્યારે કાર્યવાહી કરીશું.
  • કોર્ટે અગાઉ કહ્યું હતું- વિરોધના અધિકાર અને મૂવમેન્ટના અધિકારમાં સંતુલન હોવું જોઈએ.

વકીલ અમિત સાહનીએ આ મામલે પિટિશન ફાઇલ કરી હતી. કોર્ટે 21 સપ્ટેમ્બરે ચુકાદો મુલતવી રાખ્યો હતો. અદાલતે એ દિવસે કહ્યું હતું કે વિરોધના અધિકાર અને જનતાની મૂવમેન્ટના અધિકાર વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. સંસદીય લોકતંત્રમાં તમામને વિરોધનો અધિકાર છે, પરંતુ શું લાંબા સમય સુધી કોઈ જાહેર માર્ગને જામ કરી શકાય?

શાહીન બાગમાં 3 મહિનાથી વધુ સમય સુધી દેખાવો ચાલ્યા હતા

દિલ્હીના શાહીન બાગમાં 14 ડિસેમ્બરે સીએએ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા, જે 3 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યા હતા. સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ સિનિયર વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને જવાબદારી આપી હતી કે દેખાવકારો સાથે વાતચીત કરીને કોઈ ઉકેલ લાવે, પરંતુ અનેક રાઉન્ડ ચર્ચા કર્યા પછી પણ કંઈ પરિણામ આવી શક્યું નહોતું. ત્યાર પછી કોરોનાને કારણે 24 માર્ચે દેખાવો બંધ થઈ શક્યા હતા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!