નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ બે મુખ્ય કારણોને લીધે બગડી જાય છે શારીરિક સબંધ માણવાની મજા...

 આપણે જાણીએ છીએ તેમ સેક્સ પતિ પત્નીના સંબંધોને વધારે મજબૂત બનાવે છે. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે. ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે.



જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે.

પ્રજનન અંગોમાં રોગ થવાને કારણે પણ ઘણી વાર ઇન્દ્રિયમાં જોઈએ તેવું ઉત્થાન આવતું નથી. સ્ત્રીઓમાં પ્રજનન અંગો સંબંધી રોગો જેમ કે લ્યુકેરિયા, યોનિમાર્ગમાં ઇન્ફેક્શન જેવા રોગોને કારણે પણ સેક્સ પ્રત્યે નિરાશા જન્મે છે.


જ્યારે પુરુષોમાં પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે પણ સેક્સ સંબંધોમાં નીરસતા આવે છે. ઘણાં સ્ત્રી કે પુરુષો પ્રજનન અંગોની સ્વચ્છતાની કાળજી લેતાં નથી, જેના કારણે સામેના પાર્ટનરને સંબંધ બાંધવા પ્રત્યે નીરસતા દાખવે છે.

ઘણા કિસ્સામાં જોવા મળે છે કે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક જોઈએ તેવો સહયોગ દાખવતા નથી અથવા ઘણા કિસ્સામાંથી પતિના વધારે એક્સાઇટેડ થવાને કારણે પત્નીઓ સેક્સથી દૂર ભાગતી હોય તેવું જોવા મળે છે. ઘણી વાર કોઈ એક પાર્ટનર સેક્સમાં નવી પોઝિશન અપનાવવા માગતો હોય પણ સામેવાળો પાર્ટનર આના માટે અસંમતિ દર્શાવે તો બીબાઢાળ શારીરિક સંબંધોમાં પણ સેક્સ પ્રત્યે ઉદાસીનતા લાવે છે.



જો કે ઘણાં યુગલોમાં પાર્ટનરના વિચિત્ર નિયમો જેમ કે લાઇટ ઓફ ના કરવી, નવા પ્રયોગો માટે તૈયાર ના થવું, પાર્ટનર પાસે વિચિત્ર માગણીઓ મૂકવી આવી સમસ્યાઓને કારણે પણ સેક્સલાઇફમાં ગેપ વધે છે. ઘણા પતિઓને એવી ફરિયાદ હોય છે કે તેમની પત્ની સેક્સ માટે પહેલ કરતી નથી. આવી નાની-મોટી ફરિયાદો પણ ઘણી વાર વ્યક્તિની સેક્સલાઇફમાં નીરસતા લાવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!