નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અકાલી દળે ભાજપ સાથે 22 વર્ષ જૂનો સાથ છોડ્યો, હરસિમરતના રાજીનામાના 9 દિવસ બાદ પક્ષ NDAથી અલગ થયો

કૃષિ વિધેયકને લીધે NDAમાં ફૂટ પડી ગઈ છે. શિરોમણી અકાલી દળ NDAથી અલગ થયુ છે. 9 દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા 22 વર્ષથી સાથી છે.

અકાલી દળ પર શુ દબાણ હતુ?

  • પાર્ટીમાં ફૂટનો સામનો કરી રહેલા અકાલી દળ માટે મોદી સરકારનું કૃષિ વિધેયક મોટી મુશ્કેલીરૂપ બન્યુ હતું. જો પક્ષ આ વિધેયકને ટેકો આપે તો પંજાબમાં મોટી વોટબેન્ક એટલે કે ખેડૂતો તેના હાથમાં સરકી જાય તેમ હતા.
  • પંજાબના કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની ખાસી પકડ છે. અકાલી દળે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. આ સંજોગોમાં રાજીનામુ આપવું તે મજબૂરી બની ગઈ હતી. કારણ કે ચૂંટણીને આડે હવે માંડ દોઢ વર્ષનો સમય બાકી છે. આ સંજોગોમાં અકાલી દળ ખેડૂતોનો એક મોટો વર્ગ તેની વિરુદ્ધ જાય તેવું ઈચ્છતો નથી.

આ ત્રણ વિધેયકોનો વિરોધ થઈ રહ્યો છે

  • ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ
  • ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ
  • એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) બિલ

વર્ષ 1998થી અકાલી દળ NDAમાં હતુ
વર્ષ 1998માં જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીએ NDA ની રચના કરવાનો નિર્ણય કર્યો હતો તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટી, જયલલીતાની અન્નાદ્રમુક, પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વ વાળી અકાલી દળ તથા બાલા સાહેબ ઠાકરેની શિવસેના સૌથી પહેલા જોડાયા હતા. સમટા પાર્ટી બાદમાં નામ બદલી JDU થઈ ગઈ હતી. JDU તથા અન્નાદ્રમુક NDAથી એક વખત અલગ થઈ પરત ફર્યા છે. શિવસેના હવે કોંગ્રેસ સાથે છે. અકાલી દળ જ એવો પક્ષ હતો કે જે અત્યાર સુધી NDAનો સાથ છોડ્યો ન હતો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!