નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું મોત પહેલા સુશાંતને આપવામાં આવ્યું હતુ ઝેર?

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કેટલાક લોકોનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે, તો બીજી તરફ સુશાંતના ફેન્સ અને પરિવારનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. તો હવે એક રિપોર્ટ પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સ પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુશાંતને ઝેર નહોતુ આપવામાં આવ્યું. સુશાંતના વિસરામાં ઝેર નથી મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી મળ્યું.

કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સને ક્લિનચિટ નહીં

સીબીઆઈ તપાસથી એમ્સનો રિપોર્ટ અલગ નથી. જોકે અત્યારે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોને સંપૂર્ણ રીતે ક્લિનચિટ આપવામાં આવી નથી. કૂપર હૉસ્પિટલની રિપોર્ટને વિસ્તૃત રીતે જોવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કૂપર હૉસ્પિટલ અત્યારે પણ પ્રશ્નોના ઘેરામાં છે. એમ્સની રિપોર્ટ એ ઇશારો કરે છે કે કૂપર હૉસ્પિટલ દ્વારા સુશાંત કેસમાં લાપરવાહી વ્યક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઑટોપ્સી કરી હતી, જેના પર પ્રશ્નો ઉઠ્યા હતા.

સુશાંતને નહોતુ આપવામાં આવ્યું ઝેર

સુશાંતના ગળાના નિશાનને લઇને રિપોર્ટમાં કંઇ પણ નહતુ કહેવામાં આવ્યું. સુશાંતના મોતનો સમય પણ નહોતો જણાવવામાં આવ્યો. સુશાંતના પરિવાર તરફથી તેમના ફેમિલી વકીલે સુશાંતને મોત પહેલા ઝેર આપ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હવે એમ્સના રિપોર્ટથી એ સામે આવી ગયું છે કે સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નહોતુ. સુશાંતના પરિવારે સુશાંતનું મર્ડર થયું હોવાનું કહ્યું હતુ.

રિયા ચક્રવર્તી પર પરિવારનો આરોપ

સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવી છે. રિયાની વિરુદ્ધ તપાસ એજન્સીઓ તપસા કરી રહી છે. સીબીઆઈએ પણ રિયાથી પૂછપરછ કરી હતી. રિયા સાથે ઈડી અને એનસીબીએ પણ પૂછપરછ કરી. અત્યારે રિયા ડ્રગ્સ કેસમાં ભાયખલા જેલમાં છેલ્લા 22 દિવસથી બંધ છે. રિયા પર આરોપ છે કે તે ડ્રગ્સ ખરીદતી હતી.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!