નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વીડિયોમાં કેદ થયું નિર્દયી માતાની ક્રૂરતાનું કારનામુ!

 
આ મા એટલી બધી નિર્દયી નીકળી જેની કોઈ પણ કલ્પના ન કરી શકે

માની મમતાથી તો બધા જ વાકેફ છે. માની સામે જો તેનું બાળક રડે તો માને ત્યાં સુધી ચેન નથી પડતુ, જ્યાં સુધી તેનું સંતાન ચૂપ ન થઈ જાય, પરંતુ એરિઝોનાના ગિલબર્ટમાં રહેતી એક મા એટલી બધી નિર્દયી નીકળી જેની કોઈ પણ કલ્પના ન કરી શકે. આ મહિલાએ પોતાના રડતા બાળકને ચૂપ કરાવવા માટે તેના મોંમાં મારિજુઆના (એક નશીલો પદાર્થ)નો ધૂમાડો ફૂંકી દીધો.

એટલું જ નહીં, જેસિકાનું બાળક ચૂપ ન થયુ તો તેણે તેના મોં પર એક લાત પણ મારી દીધી. ગિલબર્ટ, એરિઝોનામાં રહેતી 21 વર્ષીય જેસિકા કેલાવે પર બાળ ઉત્પીડનનો મામલો નોંધવામાં આવ્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે રાત્રે તેને બહાર જવુ હતું અને તેનો દીકરો તેને પરેશાન કરી રહ્યો હતો.


જેસિકાના આ કારનામાનો તેના ફ્લેટની એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો અને પોલીસને આપી દીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાયુ હતું કે તે તેના બાળકના પગ ઊંચા કરીને તેને મારતી પણ હતી. આ બધુ વીડિયોમાં કેદ થઈ ગયું છે. અત્યારે તો તેને 2700 ડોલરના જામીન પર મુક્ત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા