નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઘટાડેલા વજનનું કેવી રીતે કરશો જતન...!

 
 
ઘણા લોકોને આપણે વાતો કરતાં સાંભળીએ છીએ કે મેં ૧૦ કિલો વજન ઘટાડ્યું હતું, પરંતુ પછી ૪-૬ મહિનામાં ૧૨ કિલો વજન વધી ગયું. વારે-વારે વજન વધારવું-ઘટાડવું શરીર માટે હિતાવહ નથી. તે છેવટે શરીરને નુકસાન કરે છે. વજન ઘટાડતી વખતે એટલું ધ્યાન રાખો કે ઘટાડેલું વજન ગમે તે થાય પણ વધવું જોઇએ નહીં. તમે ભલે આખા વર્ષમાં ૫-૬ કિલો વજન ઊતારો, પણ જે વજન ઘટાડો તે પાછું વધશે નહીં તેવો દ્રઢ સંકલ્પ કરો.

ઘટેલું વજન ફરીથી વધી જવાના મોટા ભાગના દાખલામાં વ્યક્તિની ઇચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. જ્યારે વજન ઘટાડવાનો પ્રોગ્રામ હાથમાં લઇએ ત્યારે ખૂબ જ ઉત્સાહ હોય છે, પરંતુ થોડા જ સમયમાં ઉત્સાહ ઓસરી જાય છે. આહારનિયંત્રણના નિયમો બાજુએ હડસેલાઇ જાય છે પરિણામે ફરીથી વજન વધવાનું શરૂ થઇ જાય છે. હજી પણ લોકોને શું ખાવું અને શું નહીં એનું જ્ઞાન જ નથી. આજનો દિવસ ખાઇ લઇએ અને કાલથી નહીં ખાઇએ એવું કહીને કાલ ક્યારેય આવે નહીં અને શરીરનું ધ્યાન રખાય નહીં એવી સ્થિતિ થાય છે. ઘટેલા વજનને જાળવવા આટલું કરો.

૧-ડાયટ કરીને જે વજન ઘટાડો પછી પાછું ધીમે ધીમે થોડું ખાવાનું શરૂ કરો. ખાંડ લેવાની બિલકુલ બંધ કરી હોય તો દિવસની બે ચમચી જેટલી ખાંડ શરૂ કરો. અઠવાડિયામાં એકાદ વખત તળેલું, ગળ્યું વગેરે માપસર ખાવ. જેથી કરીને એકદમ વજન વધી ન જાય અને ઊતરેલું વજન જળવાયેલું રહે.

૨- વજન ઘટ્યા પછી વજન જળવાઇ રહે છે તેની ખાતરી કરવા અઠવાડિયામાં એક વખત વજન કરવું અનિવાર્ય છે. દરેક વખતે દિવસના એક જ સમયે (સવારે કશુંયે ખાધા-પીધા વગર) એક જ પ્રકારના કપડાં પહેરીને વજન કરો. વજનનો કાંટો એક જ હોય તે જરૂરી છે. બને તો આગલી રાતે એક જ પ્રકારનો હળવો ખોરાક લેવો જરૂરી છે. દિવસ દરમિયાન વજનમાં બે-ત્રણ પાઉન્ડ વધઘટ થઇ શકે છે તેથી દરેક વખતે એક જ સમયે વજન કરવું અને તે નોંધવું.

૩- મનને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવો. દરરોજ ૨૦ મિનિટનું ધ્યાન કરી મન મકકમ કરો કે ઊતારેલું વજન વધારવું નથી.

૪- ગમે તેટલા ગુસ્સે થાવ, ડિપ્રેશન આવે, મૂંઝવણ હોય પરંતુ ભાવનાઓનો ઉકેલ ખોરાકથી લાવવા પ્રયત્ન કરવો નહીં.

૫- અઠવાડિયામાં એક વખત એક ટાઇમ સંપૂર્ણ સમતોલ ખોરાક અને સાંજે ફળ અને દૂધ લઇને ઉતારેલું વજન જાળવી રાખો.

૬- કોરા નાસ્તા જેવા કે ખાખરા, મમરા, બિસ્કિટ બને ત્યાં સુધી લેવા નહીં. તેનાથી પેટ ભરાતું નથી.

૭- ખોરાકમાં ફળફળાદિનો ઉપયોગ ખૂબ રાખો. પાણી ખૂબ પીઓ જેથી ખોટી ભૂખ નહીં લાગે.

૮- ઘટાડેલા વજનને જાળવવા કસરત કરો. એથી ચયાપચયની ક્રિયા સુધરે છે અને વજન વધતું નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે