નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઇંધણ વાયુ CNG

 
પેટ્રોલના વિકલ્પ તરીકે અપનાવાયેલા ગેસ (વાયુ) ઈંધણના ભાવ પણ વધતા જાય છે. થોડાક જ દાયકાઓ પહેલાં વાહનો માટે ગેસ અયોગ્ય માનવામાં આવતો હતો. અત્યારે એ સામાન્ય થઇ ગયો છે. પૃથ્વીના પેટાળમાં રહેલા કુદરતી વાયુમાં મહદંશે મિથેન (એક કાર્બન અને ચાર હાઇડ્રોજન પરમાણુઓનું સંયોજન) હોય છે. ખાતર બનાવવા માટે તેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે તે વાહનો માટે પ્રચલિત બન્યો ત્યારે તેના વિશે વિગતવાર ચર્ચા થતી હતી. આજે તેનું પુન:અવલોકન કરી લઇએ.

વાયુમંડળ વાતાવરણ રૂપે ધરતી ઉપર જકડાયેલું રહે છે, પરંતુ પ્રસ્તુત લેખમાં વાયુઓ કે કુદરતી વાયુ એટલે ઈંધણ તરીકે ઉપયોગમાં આવતા વાયુની વાત કરી છે. આ પ્રકારના વાયુ કાં તો જૈવિક રીતે કાં તો ગરમીને લીધે પેદા થાય છે. કળણ કે ભેજવાળા વાતાવરણમાં જૈવિક કચરાના સડવાથી ઉત્પન્ન થતા વાયુમાં મિથેન હોય છે. ગોબર ગેસ આ કક્ષામાં આવે છે. આ પ્રક્રિયા મોટે ભાગે પૃથ્વીની સપાટી ઉપર થતી હોય છે.

જ્યારે સદીઓથી ધરતીના પેટાળમાં ધરબાયેલા જૈવિક અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થતાં મિથેનયુકત વાયુ ઉત્પન્ન થાય છે, જેનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય. શારકામ કરી મેળવાતા કુદરતી વાયુને ઈંધણ તરીકે વાપરતાં પહેલાં તેમાંથી મિથેન સિવાયના અન્ય ઘટકો દૂર કરવામાં આવે છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન પ્રોપેન, ઇથેન, બ્યુટેન, સલ્ફર, અંગારવાયુ, જળબાષ્પ અને ક્યારેક હિલિયમ કે નાઇટ્રોજન જેવા ઘટકો ઉપપેદાશ રૂપે મળે છે.

જોકે ઓગણીસમી સદીમાં તો ઈંધણ વાયુ કુદરતી તેલ (પેટ્રોલ, ડીઝલ વગેરે) મેળવવા માટે કરાતા શારકામ વખતની ઉપપેદાશ જ હતી. હા, તેલના કૂવા સિવાય તે કોલસાની ખાણ નજીક પણ મળી આવે છે. તેલના કૂવાની નજીક જ તેનો કોઇ વપરાશ ન હોવાથી તેનો નિકાલ કરવો કે બીજે મોકલવો એ માથાનો દુખાવો હતો. એ સમયે તેને ત્યાં જ બાળી નાખી નિકાલ કરવામાં આવતો હતો.અત્યારે આ વાયુ ઉપપેદાશને ફરી પાછો ધરતીમાં ભંડારી દેવામાં આવે છે જેથી અન્ય તેલના કૂવાઓમાં દબાણ વધે અને ઝડપથી તેલ બહાર આવે.

આ ઉપરાંત ભંડારેલો ગેસ ભવિષ્યમાં ઉપયોગી થાય. આ સમસ્યાના નિવારણ માટે એક અન્ય ઉપાય પણ અજમાવાયો છે. તે છે વપરાશકાર સુધી ગેસનું પાઇપલાઇન દ્વારા વહન કરવું, પરંતુ એક જર્મન કંપનીએ વિકસાવેલી પદ્ધતિથી ગેસનું પ્રવાહીમાં રૂપાંતર શક્ય બન્યું અને સાથોસાથ તેનું વહન પણ સરળ અને કફિાયત થયું. મોટા ભાગની કંપનીઓ પ્રવાહી ગેસનું ઉત્પાદન કરવા લાગી છે. આંકડાઓ મુજબ વિશ્વમાં ગયા વર્ષે પ્રતિ દિન એક્સો ચાલીસ હજાર બેરલ પ્રવાહી ગેસ બન્યો હતો.

રશિયામાં અન્ય દેશો કરતાં વિપુલ પ્રમાણમાં ગેસ ભંડાર છે, જ્યારે વાપરવામાં પાકિસ્તાન અગ્રેસર છે. એક ધારણા મુજબ ભવિષ્યમાં વાહનવ્યવહાર ઉપરાંત વીજ ઉત્પાદન અને બળતણ માટે વ્યાપક ઉપયોગ થશે. વરાળ અને ગેસ ટબૉઇનના સંયુક્ત ઉપયોગથી વીજ ઉત્પાદનની કાર્યક્ષમતા વધે છે. જ્યારે પર્યાવરણની સુરક્ષાની વાતો આવે ત્યારે પેટ્રોલ કે કોલસા કરતાં તે ત્રીસથી પિસ્તાલીસ ટકા ઓછો અંગારવાયુ પેદા કરે છે. ઈંધણ વાયુ ધરતીના પેટાળમાંથી ઉલેચવા ઉપરાંત બીજી કેટલીક પદ્ધતિઓથી પણ મેળવી શકાય છે.

આપણે જેને ઓળખીએ છીએ તે સીએનજી (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અશિ્મય ઈંધણ છે. તે હવા કરતાં હલકો હોવાથી સલામત છે અને પર્યાવરણ માટે પણ ઓછો હાનિકારક સિદ્ધ થયો છે. કુદરતી રીતે મળતા વાયુને સાફ કરી તેનું કદ દબાણ દ્વારા નવ્વાણું ટકા ઘટાડી નાખવામાં આવે છે. દબાવેલા (કમ્પ્રેસ્ડ) વાયુનો સંગ્રહ કરવા માટે કે વહન કરવા માટે નળાકાર ટાંકી વપરાય છે. સીએનજીનું ટાંકીમાં દબાણ ૨૦૦-૨૪૮ બાર (દબાણ માપવાનું એકમ) જેટલું હોય છે.

એક સરખામણી કરીએ તો વાતાવરણનું સામાન્ય દબાણ લગભગ એક બાર જેટલું હોય છે. ગેસનો ઓકટેન નંબર પેટ્રોલ કરતાં વધુ (૧૨૦-૧૩૦) હોવાથી જ્યારે પેટ્રોલ પર ચાલતાં વાહનોને (આમ તો વાહનનું એન્જિન) ગેસ પર ચલાવીએ ત્યારે એન્જિનની શક્તિ દસથી પંદર ટકા ઘટી જાય છે. પેટ્રોલ એન્જિન સમકક્ષ શક્તિ મેળવવા માટે ગેસ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો વધુ હોવો જોઇએ. હા, ગેસમાં બેન્ઝીન ન હોવાથી સ્પાર્ક પ્લગ લાંબા ચાલે છે.

રશિયા એંસીના દાયકાથી ગેસ પર ચાલતું વિમાન વિકસાવી રહ્યું હતું. હવે તેને સફળતા મળી છે. આ ટેક્નોલોજી અમલમાં આવતાં વિમાનનો ઈંધણ ખર્ચ સાઠ ટકા ઘટી જશે. જેટ એન્જિનમાં વપરાતા કેરોસીન (વિમાનના ઈંધણને કેરોસીન કહેવાય છે) કરતાં ઈંધણ ગેસ વધુ શક્તિશાળી હોવાથી એન્જિન ઓછું ગરમ થશે જેથી તેની કાર્યક્ષમતા વધશે. જેમ જેમ ગેસના વહન અને સંગ્રહ કરવાની પદ્ધતિ સરળ, સસ્તી અને સલામત થતી જશે તેમ તેમ તેના ઉપયોગની ક્ષિતિજ વિસ્તરતી જશે. ઉપયોગનો વ્યાપ વધતો જશે.

શોર્ટ સર્કિટ: એક સમયે વાહનમાં ગેસનું ઈંધણ ગેરકાયદે હતું અને હવે એની ઉચ્ચ સ્તરે ભલામણ કરવામાં આવે છે, સમય બડા બલવાન!

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે