નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

35 લાખ રૂપિયાની એક કિલો પાલક

 
જર્મનીના વૈજ્ઞાનિકો મોંઘા શાકભાજી ઉગાડવામાં લાગેલા છે

તમે પાલક તો ખૂબ ખાધી હશે, પરંતુ ક્યારેય તમે 35 લાખ રૂપિયા પ્રતિ કિલોની કિંમતની પાલક ખાધી છે? જર્મનીના વૈજ્ઞાનિકો મોંઘા શાકભાજી ઉગાડવામાં લાગેલા છે. આ શાકભાજીમાં ખાસ પ્રકારના તત્વો મળી આવે છે, જે બીમારી સામે લડવા માટે સક્ષમ હોય છે.

ઉલ્લેખનીય છે કે શાકભાજી અને મસાલામાં મળી આવતું તત્વ ફ્લેવોનોઇડ બ્લડ સર્ક્યુલેશનને કાબુમાં રાખવા, હાર્ટની બીમારી અને કેન્સર સામે લડવા માટે મદદગાર સાબિત થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા ઉગાડવામાં આવતા શાકભાજીમાં આ તત્વ અન્ય શાકભાજીની તુલનામાં વધારે હશે અને આ માટે વૈજ્ઞાનિકોએ પાલક અને ફૂદીના કે પાર્સલેના છોડને પસંદ કર્યો છે.

તેમાં ફ્લેવોનોઇડની માત્રા અન્ય શાકભાજીની સરખામણીમાં વધારે હોય છે. છોડના વિકાસ માટે કાર્બન ડાયોક્સાઇડ આપવામાં આવે છે, પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મળતા કારબન ડાયોક્સાઇડથી અલગ હોય છે. તેમાં સાધારણ 12સીના બદલે 13સીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાસ્સો મોંઘો હોય છે. તેની ચાર હજાર લીટરની એક બોટલની કિંમત આશરે 70 લાખ રૂપિયા છે. આ કારણે જ તે મોંઘી હશે. આ કાર્બન ડાયોક્સાઇડથી શાકભાજીમાં ફ્લેવોનોઇડની માત્રા કેટલાય ગણી વધી જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ