નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ...

 
 
થોડા દિવસમાં જ ઘરના વાતાવરણમાં શરણાઇના સૂર રેલાશે. નવવધૂના સ્વાગતની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. ત્યારે વરરાજાનું પણ એટલું જ મહત્વ છે અને આ બાબત સમજવાની એના માટે પણ જરૂરી છે.

દાંપત્યજીવન ખુશીની સાથે અનેક જવાબદારીઓ સાથે લાવે છે. આ વાત નવવધૂ તો સમજે છે, પણ વરરાજા માટેય કેટલીક બાબતો જાણવી જરૂરી છે. ખાસ કરીને, એના વિશે જે લગ્નની તૈયારી સાથે જોડાયેલી છે. અહીં અમે જણાવીએ છીએ કે વરરાજાએ એટલે કે તમારે શું કરવાનું છે.

- લગ્નની તમામ વ્યવસ્થાની જવાબદારી તો ઘરનાં વડીલોએ ઉપાડી લીધી હશે, છતાં કેટલાક કામ પૂરા કરવામાં તેમને સહાય કરો. આથી તેમને મદદ થશે.

- લગ્નમાં થનારા ખર્ચ અને તમારા બજેટ વિશે પરિવારની સાથોસાથ તમને પણ જાણકારી હોવી જોઇએ. ખર્ચ અને બજેટમાં સંતુલન જળવાઇ રહે તે માટે આ જરૂરી છે.

- તમે ઇચ્છતાં હો કે લગ્નના દિવસે નવવધૂની સાથોસાથ લોકો તમારી પણ પ્રશંસા કરે તો તમારી કાળજી લેવાની શરૂ કરી દો. જો અત્યાર સુધી વ્યસ્ત રહેવાને લીધે ફિટનેસ જળવાઇ ન હોય, તો પણ હજી મોડું નથી થયું.

- લગ્નના બે-ત્રણ દિવસ પહેલાં હેરકટ કરાવવાને બદલે અત્યારે જ હેરકટ કરાવી લો. આના લીધે તમને ખ્યાલ આવી જશે કે તમે કેવા દેખાશો.

૧૫ દિવસ પહેલાં

- નવવધૂને તો લગ્નની તમામ વિધિ અંગે પહેલાંથી જ જણાવી દેવામાં આવે છે, પણ મોટા ભાગે વરને લગ્નવિધિ બાબતે ખ્યાલ હોતો નથી. તમારા કોઇ નિકટતમ સ્વજન કે મિત્ર પાસેથી લગ્નની તમામ વિધિ વિશે જાણી લો જેથી કોઇ ભૂલ થવાની શક્યતા ન રહે.

- લગ્નના ખાસ વિધિ દરમિયાન જે પોશાક પહેરવાનો હોય તે પહેલાં પહેરીને ફિટિંગ બરાબર છે કે નહીં તે ચકાસી લો. તે સાથે તમામ એક્સેસરિ અને મેકઅપ પણ જોઇ લો. આને ફાઇનલ રિહર્સલ માનો.

- જો તમે સૂટ પહેરવાનાં હો, તો મેચિંગ ટાઇ, કફલિંકસ અને ટાઇપિન યાદ રાખજો. આ જ રીતે પરંપરાગત પરિધાન સાથે પણ મેચિંગ એક્સેસરિઝનો ખ્યાલ રાખવો.

છેલ્લા અઠવાડિયામાં...

- ઘરમાં મહેમાનો આવવા લાગ્યા છે. કાલ કે પરમ દિવસથી તો મેંદી, પીઠી ચોળવાની વગેરે વિધિ શરૂ થઇ જશે. આવા સમયે તમે સતત મોબાઇલ કાને ધરીને ફરતાં હો તે યોગ્ય નથી. મહેમાનોને સમય આપો અને તમામ રિવાજ તથા મજાક-મશ્કરીનો આનંદ માણો.

- જ્યારે જાન પ્રસ્થાન હોય તેના એક દિવસ પહેલાં જ ધ્યાનથી બધી વસ્તુનું પેકિંગ કરી લો. પોશાકની સાથે બીજી વસ્તુઓ જેવી કે શેવિંગ કિટ, પરફ્યૂમ વગેરે બેગમાં મૂકી દો. ઇચ્છો તો વસ્તુની પ્રાથમિકતા અનુસાર બે બેગ પણ તૈયાર કરી શકો છો. આ અંગે તમારા કોઇ મિત્ર કે સંબંધીને જણાવી દો જેથી જરૂર પડે ત્યારે એ તમને તમારી વસ્તુ તરત જ આપી શકે.

- લગ્નના બે દિવસ અગાઉ એક્સપર્ટની સલાહ લઇ બ્લીચ, ફેશિયલ વગેરે કરાવી લો.

- લગ્નની એક રાત પહેલાં પૂરતી ઊંઘ લો અને સંપૂર્ણ આરામ કરો, જેથી લગ્નના દિવસે તમે થાકેલાં ન દેખાવ.

- લગ્નની જુદી જુદી વિધિ દરમિયાન શુકનમાં જે રૂપિયા આપવાના હોય તેને વોલેટમાં અલગ રાખો. વોલેટમાં ન રાખવા હોય તો તેને કવરમાં પણ રાખી શકો છો.

- લગ્ન માટેની જરૂરી તમામ ખરીદી કરી લીધી, પણ નવવધૂ માટે કંઇ ભેટ લીધી કે નહીં... આવી ભૂલ ન કરતાં. યોગ્ય પસંદગી માટે એના ગમા-અણગમા વિશે વિચારી લો. તેમ છતાં જો કંઇ ન સૂઝે તો તમારી બહેન કે મિત્રની મદદ લઇ શકો છો.

લગ્ન સમયે...

સ્ટેજ પર ઊભેલા વરરાજા એટલે કે તમારા પર દરેકની નજર તો હોવાની જ. આવા સમયે લગ્ન અંગે વધારે પડતા ઉત્સાહિત હોવું કે બિલકુલ રસ ન દાખવવો - આ બંને સ્થિતિ યોગ્ય નથી. તમારા વર્તન અને હાવભાવ પર સંયમ રાખો. સ્મિતથી તમારો ચહેરો તો સુંદર લાગશે જ, સંયમિત અને શાલીનતાભર્યું વર્તન તમને જવાબદાર દર્શાવશે. તમારા વર્તન કે હાવભાવથી કોઇને ખ્યાલ ન આવવો જોઇએ કે લગ્ન દરમિયાન તમે વધારે પડતા ઉત્સાહિત છો કે કોઇ કારણસર નારાજ છો.

- સંયમિતની સાથોસાથ મર્યાદિત અને સૌમ્ય વર્તનની આશા પણ તમારી પાસેથી રાખવામાં આવે છે. મજાક-મસ્તીભર્યા વાતાવરણમાં કોઇ એકનો પક્ષ ન લેતાં તટસ્થતાથી વર્તવામાં જ સમજદારી છે. સંબંધીઓની મજાકમશ્કરીનો જવાબ મધુર સ્મિત સહ આપો અને વર કે વધૂ કોઇ પણ એક પક્ષ માટે પક્ષપાતી વલણ ન અપનાવો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે