નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતના આ સ્થળે આકાર લેશે વિશ્વની પ્રથમ સ્માર્ટ સિટી!

- સર નું પ્રથમ બે તબક્કાનું કામ આ મહિનામાં પૂર્ણ થઇ જશે
- સીનિયર મેનેજમેન્ટ લેવલના 150 જાપાનીઝ ડેલિગેશન રોકાણની તકો માટે ગુરૂવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે
- ડેલિગેશનમાં મેન્યુફેકચરિંગ થી બેકિંગ અને ટ્રેડિંગથી લઇને લોજિસ્ટિક સુધીના લોકો મુલાકાત લઇ રહ્યા છે
- તેઓ 'સર' દુનિયાનું સૌપ્રથમ રિઅલ સ્માર્ટ સીટી બની જશે તેની તકો પણ ચર્ચા કરશે
 

ગુજરાતમાં ધોલેરા ખાતે આકાર લઇ રહેલા દેશના સૌપ્રથમ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (સર)નું પ્રથમ બે તબક્કાનું કામ આ મહિનામાં પૂર્ણ થઇ જશે. અમદાવાદ જિલ્લામાંથી પ્રયાસ થઇ રહ્યો છે કે પશ્ચિમી રાજ્યમાં આવતા દસ વર્ષમાં 90 અબજ ડોલરનું રોકાણ લાવવાની શક્યતા છે.

ગુજરાતમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડીએમઆઇસી) જાપનના નાણાંકીય સહકાર સાથે આકાર લઇ રહ્યો છે. આ પ્રોજેક્ટે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર જમીન સંપાદનના મોડલને લઇને જ નહીં પરંતુ નાણાંકીય અને રોકાણની પણ ઘણી તકો ત્યાં હાજર છે.

તેના અંતર્ગત સીનિયર મેનેજમેન્ટ લેવલના 150 જાપાનીઝ ડેલિગેશન રોકાણની તકો માટે ગુરૂવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ડેલિગેશનમાં મેન્યુફેકચરિંગ થી બેકિંગ અને ટ્રેડિંગથી લઇને લોજિસ્ટિક સુધીના લોકો મુલાકાત લઇ રહ્યા છે. તેઓ 'સર' દુનિયાનું સૌપ્રથમ રિઅલ સ્માર્ટ સીટી બની જશે તેની તકો પણ ચર્ચા કરશે.

'સર' સ્પેશ્યલ ઇકોનોમી ઝોન (SEZ) કરતાં અલગ જ છે, અહીંથી ફક્ત નિકાસ કરવાનો જ હેતુ નથી. પરંતુ તેની જગ્યાએ ઘણી બધી સર્વિસ પૂરી પડાશે. ધોલેરામાં ડિજીટલ પ્લાનિંગની સાથે રહેણાંક શહેર, ઔદ્યોગિત એસ્ટેટસની સાથો સાથ ફાઇનાન્સિયલ હબ અને બેકિંગ સર્વિસ તેમજ એજ્યુકેશનન ઇન્સ્ટિટ્યૂશન પણ અહીં જોવા મળશે.

903 કિલોમીટર લાંબા ડીએમઆઇસી પ્રોજેક્ટનો મોટો હિસ્સો એટલે કે ત્રીજા ભાગનો ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે, તેમાંય ખાસ કરીને સર સાથે વધુ કનેક્ટ થશે.
 

ધોલેરાને સ્માર્ટ સિટી બનાવાનો કોન્ટ્રાક્ટ સિસ્કો અને આઇબીએમને મળ્યો છે. એટલે કે સેન્ટ્રલાઇઝસ ડિજીટલ કંટ્રોલની સાથો સાથ પાણી, પાવર અને ગેસની સગવડની સાથો સાથ અંડરગ્રાઉન્ડ સેન્સર સીસ્ટમ રિપોર્ટિંગ વગેરેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ