નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પનીર બટર મસાલા

 
 
પનીર બટર મસાલા

સામગ્રી:

1 કપ ટુકડા કરેલું પનીર
1 ટમેટું
2 લીલા મરચાં
2 મધ્યમ કદની ડુંગળી
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
5 કાજૂ
1/2 લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન ધાણા પાવડર
1 ટીસ્પૂન ગરમ મસાલો
2 ટેબલસ્પૂન બટર
1 ટેબલસ્પૂન તેલ
1/2 મેથીના દાણા
1/2 ટીસ્પૂન તાજી મલાઈ
મીઠું સ્વાદ અનુસાર
લીલા ધાણા, થોડા પાન ગાર્નિશ કરવા માટે

રીત:

- ડુંગળીની છાલ ઉતારીને સમારી લો.

- ટમેટાને ધોઈને ઝીણુ સમારી લો.

- લીલા મરચાંનો ધોઈને ઝીણા સમારી લો.

- ટમેટાં અને લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવી લો.

- કાજૂને પાણી સાથે પીસીને પેસ્ટ બનાવી લો.

- 1 ટેબલસ્પૂન બટર અને 1/2 ટેબલસ્પૂન તેલને એક પેનમાં ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- ગેસ પરથી નીચે ઉતારીને ડુંગળીને ઠંડી કરીને તેની પેસ્ટ બનાવો.

- બાકીના બટર અને તેલને પેનમાં લઈને તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો.

- થોડી ક્ષણો પકાવીને તેમાં ડુંગળીની પેસ્ટ, કાજૂની પેસ્ટ, લાલ મરચાંનો પાવડક અને ધાણા પાવડર ઉમેરો.

- ત્યાર બાદ તેમાં ટમેટા, મેથીના દાણા અને મીઠું ઉમેરો.

- મધ્યમ આંચ પર ગ્રેવીને ઘટ્ટ થવા દો અને ત્યાર બાદ તેમાં તાજી મલાઈ ઉમેરો.

- ગરમ મસાલો અને પનીરના ટુકડા ઉમેરીને લગભગ 1-2 મિનીટ સુધી પાકવા દો.

- લીલા ધાણાના પાન સાથે ગાર્નિશ કરીને રોટી કે પરાઠા સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ