નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વ્યવસાયમાં બુદ્ધિ અને ધંધામાં કામ કરે છે રૂપિયા

પ્રશ્ન :મને ૨૮ વર્ષ થયા. મારાં લગ્ન ક્યારે?

ઉત્તર :મકર લગ્નની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો મંગળ છે, જે સાતમા ભાવે પોતાની નીચ દ્રષ્ટિ કરે છે. શનિ પણ સાતમા ભાવને જુએ છે, જેથી લગ્ન ૨૮ વર્ષ પછી જ થાય. તમારાં લગ્ન જાન્યુઆરી ૨૦૧૩ના અંત ભાગમાં હવે થઇ જશે.

પ્રશ્ન :મારો દીકરો અત્યારે ભાગીદારીમાં મોબાઇલનો ધંધો કરે છે. હવે તેને પોતાને ધંધો કરવાનો વિચાર છે, તો કેવું રહેશે?

ઉત્તર :ભાગીદારીના બદલે પોતાનો જ ધંધો કરે એ વધારે સારું છે. ૧૬ મેથી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે એ તેના માટે ખૂબ જ સારું છે. એને સફળતા મળશે. ધંધાનું નામ ‘ગ’ અથવા ‘સ’ અક્ષર પરથી રાખવું. ચંદ્રમંગળ ભેગા હોવાથી ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલની લાઇન ફેલ નીવડે.

પ્રશ્ન :મારી દીકરીએ એમ.એસસી. માઇક્રોબાયોલોજી સાથે કર્યું છે અને લેકચરર છે. તેને પીએચ. ડી. કરવા વિદેશ જવું છે, તો જઇ શકશે?

ઉત્તર :તમારી દીકરીની કુંડળીમાં ૨૦૧૨થી જ વિદેશયોગો સક્રિય થયા છે, તો તમે તે માટે કોશિશ ચાલુ કરી શકો છો અને તે ૨૦૧૩માં વિદેશ જઇ શકશે.

પ્રશ્ન :મારે હાલમાં સંતાન નથી, તો સંતાનયોગ ક્યારે છે? એ માટે શું કરવું?

ઉત્તર :તમારી કુંડળીમાં ગુરુરાહુનો ચંડાળયોગ છે એટલે અમુક વિલંબ પછી જ સંતાનનું સુખ મળે. તમે તમારાં પત્નીની કુંડળી તો મોકલી જ નથી એટલે પ્રેગનન્સીનો યોગ કઇ રીતે જાણવો? માત્ર તમારા ગ્રહો જોતાં ૨૦૧૪માં તો સંતાન હશે જ. જો પત્નીના ગ્રહો અનુકૂળ હશે તો વહેલાં પણ થઇ શકશે.

પ્રશ્ન :મેં બી.એસસી., બી.એડ. કર્યું છે. એક સ્કૂલમાં પ્રાઇવેટ નોકરી છે. તેમાં જ પ્રગતિ થશે કે પછી ધંધો કરવો?

ઉત્તર :તમારી કુંડળી ધંધાની નથી. કરવો જ હોય તો ખાણીપીણીના ધંધામાં પડાય, પણ મારી દ્રષ્ટિએ શિક્ષણ જગત જ શ્રેષ્ઠ છે અને ૧૬ મેથી ગુરુ બદલાતાં તમને સારી તક કોઇ મોટી સ્કૂલમાં મળી શકે તેમ છે. આ વર્ષે જ તકદીર અજમાવો, સફળતા જરૂર મળશે.

પ્રશ્ન :અમારે બે દીકરી છે. અમારી ઇચ્છા છે કે એક દીકરો આવે. અમારી કુંડળીઓ મોકલી છે.

ઉત્તર :તમારી કુંડળીમાં ગુરુશનિ અંશાત્મક સામસામે છે. જેથી આગળની પેઢી બંધ કરાવે. તમારાં પત્નીની કુંડળીમાં પાંચમા ભાવે શુક્રચંદ્ર છે તેથી કન્યાઓ વધારે આપે. તમે દીકરીઓને જ દીકરા માની સંતોષ મેળવો, તેમને સારું એજ્યુકેશન આપો.

પ્રશ્ન :મારા દીકરાએ ફાર્મસીની ડીગ્રી હમણાં જ લીધી. મારા રીટાયરમેન્ટનું ૨૫ લાખ જેટલું ફંડ આવેલું છે. તો મારે એને મેડિકલ સ્ટોર ખોલી આપવો કે નોકરી કરવા દેવી? જો ધંધાથી લેણું હોય તો જ એની પાછળ પૈસા રોકું નહીં તો મૂડી ફિકસમાં મૂકી દઉં.

ઉત્તર :તમારા દીકરાની કુંડળીમાં કુંભ લગ્ન છે અને છઠ્ઠા રોગ સ્થાનનો માલિક ચંદ્ર કર્મ સ્થાને બેઠેલો છે. તેથી તેને મેડિસીન્સનો ધંધો ચોક્કસ ફળે, પરંતુ અત્યારે તેની વૃશ્વિક રાશિમાં લોખંડના પાયે સાડા સાતી ચાલુ છે અને ૨૦૧૩માં બારમો રાહુ થશે એટલે ધંધો શરૂ કરવાનો આ યોગ્ય સમય નથી. ત્રણેક વર્ષ કોઇ મેડિકલ સ્ટોરમાં ગોઠવો. ગ્રહો સુધર્યા પછી આ અનુભવ કામ લાગશે!

પ્રશ્ન :મારા દીકરાની ઇચ્છા સી.એ. કરવાની છે. બારમાનું પરિણામ કેવું આવશે?

ઉત્તર :બારમાનું પરિણામ તો સારું જ આવશે, પણ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કુંડળી નથી. સી.એ. થવા માટે શનિ ખૂબ જ બળવાન જોઇએ અને શનિનો સંબંધ ચંદ્ર કે બુધ સાથે હોવો જોઇએ. માર્કેટિંગની કુંડળી છે અને વાણીનું સ્થાન પણ સારું છે. તેથી એમ.બી.એ. જ કરાવો.

પ્રશ્ન :હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને શેરબજારમાંથી પણ સારું એવું કમાઉં છું. મારા સાળાને પ્લાસ્ટિકની ફેકટરી છે. જેને મોટા પાયે લઇ જવાની એમને ઇચ્છા છે અને મને ભાગીદારીની ઓફર કરી છે. મારે આમાં પડવા જેવું છે?

ઉત્તર :કેટલીક કુંડળીઓ ધંધાની હોય છે, તો કેટલીક માત્ર વ્યવસાયની. એકમાં રૂપિયા કામ કરે છે તો બીજામાં બુદ્ધિ. તમારી કુંડળી માત્ર વ્યવસાયની જ છે. વળી, ધન રાશિને ૨૦૧૪થી સાડા સાતી ચાલુ થશે માટે ચાલુ વ્યવસાય બદલી ધંધામાં ન પડશો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે