નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કસરત કરો, અલમસ્ત રહો

જો તમે સંપૂર્ણ સ્વસ્થ હો અને નિયમિત રીતે કસરત કરતા હો તો તમારે આ ક્રમ દરરોજ જાળવી રાખવો જોઇએ. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ જો સગર્ભા સ્ત્રીઓ એવું ઇચ્છતી હોય કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભાવસ્થા દરમિયાન તેમને કોઈ તકલીફ ન પડે તો તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એક-એક કલાક કસરત જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તેમને સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે કોઈ તકલીફ નહીં પડે અને શિશુંનું વજન પણ પાંચ ટકા જેટલું વધી જશે.
અઘ્યયનો અનુસાર જો સ્ત્રીઓ સગર્ભા બનતાં પહેલાં અને સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી હોય તો તેમની પ્રીમેચ્યોર ડિલિવરીની શક્યતા નથી રહેતી ઉપરાંત કસરતથી તાણ ઓછી થાય છે. વધારાનું વજન ઘટે છે અને કબજિયાતની પણ ફરિયાદ નથી રહેતી. કસરત કરનારી સ્ત્રીઓ, કસરત ન કરનારી સ્ત્રીઓની તુલનામાં શારીરિક અને માનસિક રીતે પોતાને વઘુ સ્વસ્થ અનુભવે છે.
અમેરિકન કોલેજના પ્રસૂતિ વૈજ્ઞાનિક અને ગાયનેકોલોજિસ્ટના અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી વખતે નીચેનાં સૂચનો જરૂર ઘ્યાનમાં રાખોઃ
* અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણવાર અને દરરોજ એક કલાક કસરત કરવી. આનાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે.
* બીમારી વખતે વધારે પડતી ભારે કસરત ન કરવી. ઉપરાંત વઘુ પડતી ગરમીમાં અને બફારામાં કસરત ન કરવી.
* વધારે વળાંકોવાળી અને ગતિશીલ ક્રિયાઓ ન કરો.
* લાકડાંવાળી જગ્યા અથવા કાર્પેટ પાથરેલી જગ્યા પર જ કસરત કરો.
* વઘુ થાક લાગે એવી કસરત ન કરવી.
* વધારે શ્રમ પડતો હોય એવી કસરત પાંચ મિનિટ સુધી જ કરવી. ત્યાર પછી ધીમે-ધીમે ચાલવું.
* ઉઠબેસવાળી કસરત કરતી વખતે ખાસ સાવચેતી રાખવી કારણ કે આવી સ્થિતિમાં ઓછા બ્લડપ્રેશરને કારણે તમને ગભરામણ થઈ શકે છે. પગની વધારે હેરફેરવાળી કસરત ઓછામાં ઓછી કરવી.
* કસરત કરતાં પહેલાં અને કર્યા પછી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે કોઈ પીણું જરૂર લેતા રહો.
* જો કોઈ સગર્ભા સ્ત્રી પહેલીવાર કસરત કરતી હોય તો તેણે શરૂઆતમાં સાવ હળવીફૂલ કસરત થોડીવાર પૂરતી કરવી જોઈએ. ધીમે-ધીમે સમય વધારવો જોઈએ.
* કોઈ પણ કસરત સતત ન કરવી. વચમાં બ્રેક લેવો. આમ કરવાથી કસરત કર્યા પછી તમને થાક નહીં લાગે.
* બની શકે તો કસરત કર્યા પછી શવાસન કરો. આમાં તમે ચત્તા સૂઈ જાવ અને તમારું શરીર ઢીલું મૂકી દો. થોડીવાર આ અવસ્થામાં જ રહો.
* આખો દિવસ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે દરરોજ સવારે ઊઠીને થોડીવાર ખુલ્લામાં ચાલવું. જો આ શક્ય ન હોય તો જમીન પર અથવા ખુરશી પર બેસી આંખ બંધ કરી થોડીવાર સુધી ઊંડા શ્વાસ લો. આ ક્રિયા લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખશે.
* તમારા હૃદયના ધબકારા પણ જરૂર ચેક કરો. આ ધબકારા વધારેમાં વધારે દર મિનિટે ૧૫૦ બીટ્‌સ કરતા વધારે ન હોવા જોઈએ. આ વિશે તમારા હેલ્થ કેર ઇન્સ્ટ્રક્ટરની સલાહ જરૂર લેવી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે