નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શાકાહારી છો? આ અગત્યના સમાચાર વાંચી લેજો

-અમદાવાદમાં દર ૧૦માંથી ૬ લોકોમાં વિટામિન બી-૧૨ની ડેફિસિન્સી-આ ખામીનું નિદાન આસાનીથી થતું ન હોવાથી વિવિધ રિપોર્ટો પાછળ દર્દીના હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે
શહેરમાં દર ૧૦માંથી છ વ્યકિત બી-૧૨ની ડેફિસીયન્સીનો શિકાર હોવાની ચોંકાવનારી માહિ‌તી પ્રાપ્ત થઇ છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં બી-૧૨ની ડેફિસીયન્સીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

મહત્વની વાત એ છે કે, બી-૧૨ની ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી જેવાં લક્ષણો હોવાથી આસાનીથી શરીરમાં બી-૧૨ની ઉણપ હોવાનું પકડાતું નથી, અને દર્દી વિવિધ પ્રકારનાં રિપોર્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાંખતા હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.

સેટેલાઇટમાં આવેલાં શાશ્વત ડાયગ્નોસીસ સેન્ટરનાં એમ.ડી. ફિઝીશીયન ડો. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે, સેન્ટરમાં આવતાં દર ૧૦માંથી છ શાકાહારી વ્યકિતમાં બી-૧૨ની ડેફિસીયન્સી જોવા મળી છે.

મુખ્યત્વે વિટામીન બી-૧૨ માટીમાં પેદા થતાં એક ખાસ પ્રકારનાં બેકટેરીયામાંથી પ્રાપ્ત થાય છે, તેમજ ડેરી પ્રોડક્ટસ, માંસ, માછલી અને ઇંડા જેવાં માંસાહારમાંથી સૌથી વધુ પ્રમાણમાં બી-૧૨ પ્રાપ્ત થતું હોય છે. જેથી શુધ્ધ શાકાહારીઓમાં બી-૧૨નું યોગ્ય પ્રમાણ જળવાતું નથી. બી-૧૨ની ઉણપને લીધે લોહીની ઉણપ, ન્યુરોલોજિક્લ અને પેટનાં રોગો જેવાં એક સાથે ત્રણ રોગોનાં લક્ષણો સાથે દેખાતા હોવાથી બી-૧૨ની ડેફિસીયન્સીનું નિદાન આસાનીથી થતું ન હોવાથી વિવિધ પ્રકારનાં રિપોર્ટોમાં દર્દીનાં હજારો રુપિયા ખર્ચાઇ જાય છે.

બી-૧૨ની ઊણપનાં લક્ષણો

એનીમીયા, પેટ અને ન્યુરોલોજીકલ રોગો જેવા ત્રણ લક્ષણોને લીધે શરીરમાં લોહીની અછત, વજન ઓછું થવું, ભુખ ન લાગવી, પરસીયસ એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી થવી, લકવો, પગનાં તળિયામાં ધ્રુજારી, હાથ-પગ તુટે, સીડી ચડતાં શ્વાસ ચઢે, ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે.

શાકાહારીઓમાં બી-૧૨ની ઊણપ કેમ થાય ?

માટીમાં થતાં બેકટેરીયા બી-૧૨નાં મુખ્ય સ્ત્રોત છે, તેમજ બી-૧૨ ઇંડા, માછલી, માંસ અને ડેરી પ્રોડકટમાંથી પ્રાપ્ત થતી હોય છે. ખોરાક પેટમાં ઇન્ટ્રીનીસીક ફેકટર પ્રમાણે તે નાના આંતરડામાંથી લિવરમાં બેથી પાંચ મિલીગ્રામ બી-૧૨ સ્ટોર થાય છે. પરંતુ, શુદ્ધ શાકાહારી ઉપરાંત જેમનાં શરીરમાં ઇન્ટ્રીનીસીક ફેકટરમાં ગરબડ થવાથી બી-૧૨ લિવરમાં સ્ટોર થવાને બદલે શરીરની બહાર નીકળી જવાથી ડાયાબીટીસ અને એસીડીટીની ગોળીઓ તેમજ લાંબા સમયથી પેટનાં રોગોથી બી-૧૨ની ઉણપ સર્જા‍ઇ શકે છે. તેમજ મિનરલ વોટરનાં વધુ ઉપયોગથી બી-૧૨ની ઉણપ સર્જા‍તી હોવા અંગે સંશોધન ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ખામી નિવારવા શું કરવું

જયારે પેટ- નયુરોલોજીકલ અને એનીમીયાનાં લક્ષણો દેખાય ત્યારે તુરત બી-૧૨નો રિપોર્ટ કરાવવો જોઇએ.આ રિપોર્ટમાં બી-૧૨નું પ્રમાણ ૨૧૬થી ૯૦૦ પીજી-એમએલ( દર ગ્રામ મિલીલીટર) ૨૦૦થી ઓછું હોય તો બી-૧૨નાં ઓછામાં ઓછાં ૨૦ ઇન્જેશન લેવાથી લિવરમાં જરૂરી બી-૧૨ સ્ટોર થાય છે. તેમજ ત્યારબાદ ફરીથી બી-૧૨નો રિપોર્ટ કરાવીને દર મહિ‌ને બી-૧૨નું એક ઇન્જેકશન લેવું પડે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે