નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહેશ ભટ્ટે દીકરીને છેલ્લું વચન લેતાં અટકાવી

 14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. પિતા મહેશ ભટ્ટે તમામ રીત-રિવાજો દિલથી માન્યા હતા. ત્યાં હાજર રહેલાં સૂત્રોએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે ફેરા ફરતા સમયે મહેશ ભટ્ટે દીકરી આલિયાને એક વચન લેવા અંગે પૂરતો વિચાર કરવાનું કહ્યું હતું, આથી જ આલિયાએ સાત વચનને બદલે છ વચન લીધાં હતાં.

પિતાએ વિરોધ કર્યો
સૂત્રોના મતે, ફેરા ફરતા સમયે જ્યારે પંડિતે આલિયાને કહ્યું હતું કે રણબીરની પત્ની બનીને તે વચન લે કે મહત્ત્વના પ્રસંગોએ તે પતિની પરવાનગી લીધા બાદ જ નિર્ણય કરશે. આ અંગે મહેશ ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અન્ય રીત રિવાજ સામે વાંધો નથી, પરંતુ આલિયા કોઈ બીજું વચન લે એની સામે પણ આપત્તિ નથી. જોકે આ વચન અંગે તે કંઈક કહેવા માગે છે.


તેમણે કહ્યું હતું, 'મેં ક્યારેય મારું જીવન કોઈના પર આધારિત રહીને જીવ્યું નથી અને બાળકોને પણ ક્યારેય એ વાત શીખવી નથી કે તે કોઈના પર આધાર રાખીને જીવે.' આલિયાએ પિતાની વાત માની લીધી હતી.

લગ્નની તૈયારીમાં મહેશ ભટ્ટે કોઈ રસ ના દાખવ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છોકરીના પિતા તરીકે મહેશ ભટ્ટે લગ્નની તૈયારીમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવી નહોતી. તમામ નિર્ણયો રણબીર તથા આલિયાએ જ લીધા હતા. રણબીરે જ લગ્નમાં 40થી વધુ મહેમાનોને બોલાવવામાં ના આવે એ નિર્ણય લીધો હતો. લગ્નમાં 38 મહેમાન આવ્યા હતા.


નાના-નાનીએ આશીર્વાદ આપ્યા
મહેશ ભટ્ટ શુક્રવાર, 15 એપ્રિલથી કામ પર પરત ફર્યા છે. આલિયાના 93 વર્ષીય નાના તથા 89 વર્ષીય નાની ખાસ આશીર્વાદ આપવા આવ્યાં હતાં. આલિયાની માસી જર્મનીથી આવી હતી.

રિસેપ્શન અંગે અવઢવ
રણબીર-આલિયાના રિસેપ્શન અંગે હજી પણ અવઢવ છે. રણબીર કપૂરના મોટા પપ્પા રણધીર કપૂરે કહ્યું હતું કે 15-16 એપ્રિલના રોજ રિસેપ્શન છે. હોટલ તાજમાં રિસેપ્શન યોજવામાં આવ્યું છે. તો ભટ્ટ પરિવારના નિકટના લોકોએ કહ્યું હતું કે તેમને શુક્રવાર, 15 એપ્રિલે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી. શનિવાર, 16 એપ્રિલે પ્રોગ્રામ છે. 15મીએ જે પણ ઇવેન્ટ હશે એ કપૂર પરિવાર અંગેની હશે.





Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !