નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દિવાળી નિમિત્તે બનાવો 'મઠિયા'

 
 
દિવાળીની ખાસ વાનગી 'મઠિયા'

સામગ્રી

1.25 કિલો મઠનો લોટ
300 ગ્રામ અડદનો લોટ
150 ગ્રામ લીલા મરચા
6 ટેબલ સ્પૂન મીઠું
150 ગ્રામ ખાંડ
અજમો 2 ટી સ્પૂન
ચપટી હળદર
2 ટેબલ સ્પૂન સફેદ મરચું
તળવા માટે તેલ

રીત
-સૌ પહેલાં મરચાને કટરમાં ક્રશ કરી લો

-એક કપ પાણીમાં ક્રશ કરેલું મરચું અને મીઠું ઉકાળો
-એક કપ પાણીમાં ખાંડ ઓગાળી લો
-બન્ને લોટ મિક્સ કરી લો અને તેમાં ખાંડનું પાણી અને મરચાનું પાણી મિક્સ કરી કઠણ લોટ બાંધો
-તેને બરાબર ખેચી અને કુટો લોટ નરમ પડી જવો જોઈએ
-લોટના એક સરખા લુવા પાડી લો અને તેને ઘી અને અડદના લોટમાં થોડા રગદોડી લો
-આ લુવાને તપેલીમાં ભરી એક કપડું ઢાકી લો
-હવે પાતળા પાતળા મઠિયા વણો અને ઉપરા ઉપરી મુકો જેથી તે સુકાઈ ન જાય
-આ મઠિયાને એક સરખો મધ્યમ આચ પર ગેસ રાખી બરાબર તળી લો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ