નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

લ્યો હવે, માત્ર 8 સેકન્ડમાં સ્ટાર્ટ થઈ શકશે તમારુ લેપટોપ

 
નવો એન્ડ્રોઇડ-4 હવે સ્માર્ટફોન અને ટેબલેટ માટે કોમન રહેશે. આ પહેલાના વર્ઝન હનીકોમ્બનો પ્રયોગ માત્ર ટેબલેટ માટે થતો હતો. એન્ડ્રોઇડ-4માં વિઝેટ્સની સાઇઝને ઓછી કે વધારે કરી શકાશે. પોતાની પસંદગીની એપ્લીકેશનને શોધવી પણ સરળ રહેશે.

આઇફોનની જેમ એપ્લીકેશન્સને ફોલ્ડરમાં સેવ પણ કરી શકાશે. તેમાં ચહેરાની ઓળખથી પણ ફોન લોક થઈ શકશે. આ સિવાય ઈનકમિંગ કોલના સમયે ફોનને અનલોક કર્યા વગર મેસેજ પણ મોકલી શકાશે. ઓપન માઇકની મદદથી સરળતાથી બોલીને કન્ટેન્ટ પણ લખી શકાશે.

ઓફલાઇન સર્ચથી 30 દિવસ સુધી જૂના મેલ ચેક કરી શકાશે. આ રીતે લેપટોપ માત્ર 8 સેકન્ડમાં સ્ટાર્ટ થશે અને તમારુ માઉસ સ્કેન પણ કરશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?